મીડિયા બ્રીફ: ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન
પ્રકાશન તારીખ: Mon, 27/07/2026 - 17:32

ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલું છે. સ્ટેશનની ફસાડ (બાહ્ય રચના) અને ડિઝાઇન પરંપરાગત સૂતરાઉ વણાટ (કપાસ વણાટ) કળાથી પ્રેરિત છે.

સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે આધુનિક સુવિધાઓ જેવી કે વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય, રિટેલ આઉટલેટ્સ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વિવિધ સ્તરો વચ્ચે સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે અનેક લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમની ડિઝાઇનમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો તેમજ બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોની જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં કાર, દ્વિચક્રી વાહનો, ઓટો અને બસ માટે પેસેન્જર પિક-અપ અને ડ્રોપ-ઓફ તેમજ પાર્કિંગની સુવિધા સાથે પદયાત્રીઓ માટે પ્લાઝા વિસ્તાર પણ વિકસાવવામાં આવી રહ્યો છે.

સ્ટેશન સીધું રાજ્ય ધોરીમાર્ગ-06 (ભરૂચ–દહેજ હાઇવે) સાથે જોડાયેલું છે. ઉપરાંત, મુંબઈ–દિલ્હી એક્સપ્રેસવે પણ સ્ટેશનથી માત્ર લગભગ 4 કિલોમીટર દૂર આવેલો હોવાથી સરળતાથી પહોંચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન, ભરૂચ રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 7 કિલોમીટર દૂર આવેલું છે.

સ્ટેશન બિલ્ડિંગ

  • ગ્રાઉન્ડ લેવલ
  • પ્લેટફોર્મ લેવલ: બે સાઇડ પ્લેટફોર્મ

સ્ટેશનની પ્રગતિ

રેલ અને પ્લેટફોર્મ સ્લેબ કાસ્ટિંગ, સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શન તથા રૂફ શીટિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ફસાડનું નિર્માણ, પ્લેટફોર્મ ફ્લોરિંગ તેમજ અન્ય આર્કિટેક્ચરલ ફિનિશિંગ સંબંધિત કાર્યો પ્રગતિ પર છે.


સંબંધિત છબીઓ



ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યાં વાસ્તુશિલ્પીય (આર્કિટેક્ચરલ) ફિનિશિંગનું કામ પ્રગતિમાં છે
ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યાં વાસ્તુશિલ્પીય (આર્કિટેક્ચરલ) ફિનિશિંગનું કામ પ્રગતિમાં છે
ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યાં વાસ્તુશિલ્પીય (આર્કિટેક્ચરલ) ફિનિશિંગનું કામ પ્રગતિમાં છે
ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યાં વાસ્તુશિલ્પીય (આર્કિટેક્ચરલ) ફિનિશિંગનું કામ પ્રગતિમાં છે
ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યાં વાસ્તુશિલ્પીય (આર્કિટેક્ચરલ) ફિનિશિંગનું કામ પ્રગતિમાં છે

શ્રીમતી શુષ્મા ગૌર
જનરલ મેનેજર,
જનસંપર્ક
ઇમેઇલ: gm.pr@nhsrcl.in
ફોન: 011-26700000/01
શ્રી નિશાંક ભાનુ
વરિષ્ઠ મેનેજર,
માર્કેટિંગ અને સંચાર
ઇમેઇલ: mgr.pr@nhsrcl.in
ફોન: 011-26700000/01
શ્રીમતી પૂજા સિંઘ
સહાયક મેનેજર,
જનસંપર્ક
ઇમેઇલ: am1.pr@nhsrcl.in
ફોન: 011-26700000/01
×